From Wikipedia, the free encyclopedia
અનંતસાયના મંદિર (અંગ્રેજી: Ananthasayana temple) ભારત દેશના કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લામાં અનંતસાયનાગુડી ખાતે આવેલ છે, જેનું નિર્માણ ઈ.સ. ૧૫૨૪ના સમયમાં વિજયનગર સામ્રાજ્યના રાજા કૃષ્ણદેવ રાય દ્વારા તેમના મૃત પુત્રની સ્મૃતિમાં કરાવવામાં આવ્યું હતું[2].
અનંતસાયના મંદિર | |
---|---|
અનંતસાયના મંદિર | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
સ્થાન | |
સ્થાન | અનંતસાયનાગુડી, બેલ્લારી જિલ્લો, કર્ણાટક |
અક્ષાંશ-રેખાંશ | 15°27′N 76°40′E[1] |
મંદિરો | ૧ |
આ મંદિરમાં એક લંબચોરસ ગર્ભગૃહ, એક સભાખંડ અને મહામંડપ છે. મુખ્ય વિમાન લગભગ ૨૪ મીટર જેટલું ઊંચું છે. ગર્ભગૃહમાં સાદા અધિષ્ઠાસનનો સમાવેશ થાય છે, જેના પર દિવાલો બનેલી છે. શિખર પરના નિર્માણમાં પાંજરા અને સાલસને બાજુઓ પર પ્રસ્તુત કરવામાં આવેલ છે. અહીં કોઈ ગોળ ગુંબજ નથી. પરંતુ એક ૧૦ મીટર ઊંચો વળાંકમય ગુંબજ છે, જે વિજયનગરના કારીગરોના સ્થાપ્ત્ય કૌશલ્ય વિશે ઘણું કહી જાય છે. ગર્ભગૃહમાં ત્રણ પ્રવેશદ્વાર છે. લંબચોરસ આકારમાં એક ખુલ્લો સપ્ત-આકલન મહામંડપ છે, જે સ્તંભ પર બનાવવામાં આવેલ છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.