અણ્ણા હઝારે
From Wikipedia, the free encyclopedia
કિસન બાપટ બાબુરાવ હઝારે (મરાઠી: किसन बापट बाबुराव हजारे) (જન્મ: ૧૫ જૂન ૧૯૩૭), અણ્ણા હઝારેના નામથી જાણીતા છે. (મરાઠી: अण्णा हजारे), ભારતીય ચળવળકાર, જે રાણેગણ સિદ્ધિ નામના ગામ માટેના સત્કાર્યો માટે જાણીતા છે, કે જે પારનેરા તાલુકા, અહેમદ નગર જિલ્લો, મહારાષ્ટ્ર, ભારતમાં છે અને આ આદર્શ ગામ બનાવવા ભારત તરફથી પદ્મભુષણ ૧૯૯૨માં મળ્યો.[1]
અણ્ણા હઝારે | |
---|---|
જન્મ | ૧૫ જૂન ૧૯૩૭ ![]() |
વ્યવસાય | ક્રાંતિકારી ![]() |
વેબસાઇટ | http://annahazare.org/ ![]() |
૫ એપ્રિલ ૨૦૧૧ ના રોજ હઝારે એ સરકાર પર મજબુત ભ્રષ્ટાચાર વિરોધિ કાયદો [જન લોકપાલ ખરડા મુજબ] લાવવા માટે દબાણ આપવા આમરણાન્ત્ ઊપવાસ ચાલુ કર્યા હતા. ૫ એપ્રીલ્ ૨૦૧૧ ના રોજ લોકપાલ નો કાયદો લાવવા માટે કે જેની પાસે જાહેર કચેરીઓ ના ભ્રષ્ટાચાર સામે લડવા નો અધિકાર છે. હઝારે ના સમર્થન માં રાષ્ટૃવ્યાપી ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન થયા હતા.૯ એપ્રિલ ૨૦૧૧ ના રોજ આ ઉપવાસ નો અંત આવ્યો હતો જ્યારે ભારત સરકાર દ્વાર તેમની માંગણીઓ સ્વીકારી લેવામાં આવી હતી, અને સરકારે સંયુક્ત સમીતિ ની રચના કરી હતી કે જે સુધારેલ લોકપાલ ખરડા પર કામ કરે.[2][3]