સરખેજ રોઝા
ગુજરાત, ભારત સ્થિત એક મસ્જિદ અને મઝાર સહિતની ઐતિહાસિક ઇમારત / From Wikipedia, the free encyclopedia
સરખેજ રોઝા મકરબા ગામ, અમદાવાદ, ગુજરાત નજીકમાં આવેલી એક સુંદર અને પૌરાણિક મસ્જિદ અને મઝાર સહિતની ઐતિહાસિક ઇમારત છે. આ સંકુલ એની વિશેષ રચનાને કારણે વીસમી સદીના આર્કિટેક્ટ લે કોરબુસિયરની રચના "એથેન્સના એક્રોપોલિસ"ની સાથે સરખાવવાથી "અમદાવાદનો એક્રોપોલિસ" તરીકે પણ ઓળખવામાં આવે છે.[1]
Quick Facts સરખેજ રોઝા, ધર્મ ...
સરખેજ રોઝા | |
---|---|
સંકુલમાં આવેલી ગંજ બક્ષની કબર | |
ધર્મ | |
જોડાણ | ઇસ્લામ |
સ્થિતિ | સક્રિય |
સ્થાન | |
સ્થાન | અમદાવાદ |
નગરપાલિકા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
રાજ્ય | ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 22.992136°N 72.504573°E / 22.992136; 72.504573 |
સ્થાપત્ય | |
સ્થપતિ(ઓ) | આઝમ અને મુઝ્ઝમ ખાન |
સ્થાપત્ય પ્રકાર | કબર |
સ્થાપત્ય શૈલી | ભારતીય-સારસેનિક |
આર્થિક સહાય | ગુજરાત સલ્તનત શાસકો |
ખાતમૂર્હત | ૧૪૪૫ |
પૂર્ણ તારીખ | ૧૪૫૧ |
બંધ કરો
સમગ્ર ગુજરાતમાં ઘણા બધા "રોઝા"[2] આવેલા છે એમાં સરખેજ રોઝા વિશિષ્ટ મહત્વ ધરાવે છે. સરખેજમાં એક સમયે પ્રભાવશાળી સૂફી સંત શેખ અહમદ ગંજબક્ષ રહેતા હતા, એ સમયે સરખેજ દેશમાં સૂફી સંસ્કૃતિ એક અગ્રણી કેન્દ્ર હતું. અમદાવાદનાં સુલતાન અહેમદ શાહે આ સૂફી સંતના સુચનથી જ સરખેજથી થોડાંક અંતરે સાબરમતી નદીને કિનારે પાટનગરનું નિર્માણ કરાવ્યું હતું.