રુધિરાભિસરણ તંત્ર
From Wikipedia, the free encyclopedia
રુધિરાભિસરણ તંત્ર એક ઇન્દ્રિય તંત્ર છે જે (એમિનો એસિડ અને ઇલેક્ટ્રોલાઇટ્સ જેવા) પોષક તત્ત્વો, વાયુઓ, અંતઃસ્ત્રાવો, રક્તકોશિકાઓ વગેરેનું કોશિકાની અંદર તેમજ કોષની બહાર પરિવહન કરે છે અને રોગ સામે લડવામાં અને હોમિયોસ્ટેસિસ જાળવી રાખવા માટે શરીરની તાપમાન અને pHને સ્થિર રાખવામાં મદદ કરે છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
રુધિરાભિસરણ તંત્ર | |
---|---|
The human circulatory system. Red indicates oxygenated blood, blue indicates deoxygenated. | |
Latin | systema cardiovasculare |
આ તંત્રને ચુસ્તપણે રુધિર વિતરણ નેટવર્ક તરીકે જોવામાં આવે છે પરંતુ કેટલાક લોકો પરિવહન તંત્રને હૃદય અને રક્તવાહિનીઓના બનેલા રુધિરાભિસરણ તંત્ર અને લસિકા તંત્રનું બનેલું માને છે. રક્તવાહિની તંત્ર રુધિરનું વિતરણ કરે છે[1] જ્યારે લસિકા પરિવહન તંત્ર લસિકાનું વિતરણ કરે છે.[2] માનવી તેમજ અન્ય પૃષ્ઠવંશી પ્રાણીઓમાં બંધ રક્તવાહિની તંત્ર હોય છે (એટલે કે રક્ત ક્યારેય ધમની, શિરા અને રુધિરકેશિકાઓના તંત્રને છોડતું નથી) જ્યારે કેટલાક અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં ખુલ્લું રક્તવાહિની તંત્ર હોય છે. સૌથી પ્રાથમિક અવસ્થાના પ્રાણી ફાયલામાં રુધિરાભિસરણ તંત્રની ગેરહાજરી છે. બીજી બાજુ લસિકા પરિવહન તંત્ર ખુલ્લું તંત્ર છે.
રુધિરાભિસરણ તંત્ર મારફતે બે પ્રકારના પ્રવાહીઓનું વહન થાય છેઃ રક્ત અને લસિકા રક્ત, હૃદય અને રુધિરવાહિનીઓ રક્તવાહિની તંત્રની રચના કરે છે. લસિકા, લસિકાગાંઠ અને લસિકાવાહિનીઓ લસિકા તંત્રની રચના કરે છે. રક્તવાહિની તંત્ર અને લસિકા પરિવહન તંત્ર ભેગા થઇને રુધિરાભિસરણ તંત્રની રચના કરે છે.