ભારતમાં પરિવહન
From Wikipedia, the free encyclopedia
ભારતમાં પરિવહન દેશના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે. 1990ના આર્થિક ઉદારીકરણ બાદથી દેશમાં માળખાકીય સુવિધાઓનો ખુબ ઝડપી વિકાસ થયો, અને આજે જમીન, જલ અને વાયુ મારફતેના વિવિધ પરિવહન સાધનો વ્યવહારમાં ઉપલબ્ધ છે. તેમ છતાં, ભારતની અપેક્ષાકૃત ઓછા જીડીપી (GDP)ના કારણે પરિવહનના આ સાધનો બધા જ લોકો માટે સમાન બન્યા નથી.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
દેશના માર્ગો પર મોટર વાહનનો ધસારો માત્ર 13 મિલિયન કારો સાથે ઘણો નીચો છે.[1] વધુમાં આશરે 10 ટકા ભારતીય પરિવારો પાસે જ મોટર સાઇકલ છે.[2] અને તે જ સમયે, 2.60 લાખ વાહનોના વાર્ષિક ઉત્પાદન સાથે ઑટોબોમાઈલ ઉદ્યોગ ભારતમાં ખૂબ ઝડપથી વધી રહ્યો છે,[3] અને ભવિષ્યમાં વાહનોની માત્રામાં ખૂબ જ વધારો થવાની સંભાવના છે.[4]
આ દરમિયાનમાં, જોકે સાર્વજનિક પરિવહન આજે પણ વસતીના મોટા ભાગના લોકો માટે પરિવહનનું પ્રથામિક સાધન રહ્યું છે. ભારતની સાર્વજનિક પરિવહન વ્યવસ્થા વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પરિવહન વ્યવસ્થા છે.[5] ભારતીય રેલ નેટવર્ક વિશ્વની સૌથી લાંબી અને ચોથી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી વ્યવસ્થા છે, જેમાં વાર્ષિક 6 બિલિયન મુસાફરો અને 350 મિલિયન ટન ભાડા માલની હેરેફેર થાય છે.[5][6]
ક્ષેત્રમાં ચાલી રહેલા સુધારાઓ છતાં, જુનું માળખું, રોકાણનો અભાવ, ભ્રષ્ટાચાર અને ઝડપથી વધતી વસતી જેવી સમસ્યાઓના કારણે પરિવહન ક્ષેત્રના ઘણાં પાસાઓ આજે કોયડા સમાન બન્યા છે. વર્તમાન માળખું આ વધતી માગોને પૂરી કરવામાં અસમર્થ રહી છે, સાથે જ પરિવહન માળખા અને સેવાઓ માટેની માગો પ્રતિ વર્ષ લગભગ 10 ટકાના દરે વધી રહી છે.[5] ગોલ્ડમેન સેચ્સના હાલના અનુમાનો મુજબ આર્થિક વિકાસમાં વધારો કરવા ભારતને માળખાકીય યોજનાઓ પર આવતા દસકા દરમિયાન US$1.7 ટ્રિલિયન (ખરબ) ખર્ચ કરવાની જરૂરીયાત રહેશે, જે અગાઉ અગિયારમી પંચવર્ષીય યોજના દરમિયાન US$500 લાખ કરોડ અંદાજેલા હતા.[7]