પાણીપતની ત્રીજી લડાઈ
From Wikipedia, the free encyclopedia
પાણીપતની ત્રીજી લડાઈ દિલ્હીથી આશરે ૧૦૦ કિમી ઉત્તરે પાણીપત ખાતે ૧૪ જાન્યુઆરી ૧૭૬૧ના રોજ ખાસ અભિયાન પર રહેલા મરાઠા સામ્રાજ્યનાં સૈન્ય અને હુમલાખોર અફઘાન દુર્રાની સામ્રાજ્યનાં સૈન્ય વચ્ચે લડવામાં આવી હતી. અફઘાન સેનાને સ્થાનિક મિત્ર રાજ્યો ગંગા-યમુના પ્રદેશના અફઘાન રોહિલ્લા નજીબ-ઉદ્-દૌલા અને અવધના નવાબની મદદ હતી. સૈન્ય દૃષ્ટિએ જોતાં લડાઈ મરાઠા અશ્વદળ અને તોપખાનાં તથા અફઘાન મૂળના અબ્દાલી અને નજીબ-ઉદ્-દૌલાના નેતૃત્વ હેઠળની અફઘાન અને રોહિલ્લા ભારે અશ્વદળ અને તોપખાનાં (ઝંબુરાક અને જેઝૈલ) વચ્ચે હતી. આ લડાઈને ૧૮મી સદીની સૌથી મોટી અને નોંધપાત્ર લડાઈ માનવામાં આવે છે[9] અને કદાચિત તે બે સૈન્ય વચ્ચે પરંપરાગત રીતે લડાતી લડાઈમાં એક દિવસમાં નોંધાયેલ સૌથી વધુ ખુવારીનો વિક્રમ પણ ધરાવે છે.
પાણીપતની ત્રીજી લડાઈ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||
યોદ્ધા | |||||||||
દુર્રાની સામ્રાજ્ય | મરાઠા સામ્રાજ્ય | ||||||||
સેનાનાયક | |||||||||
અહમદ શાહ અબ્દાલી (દુર્રાની સામ્રાજ્યના શાહ) તીમુર શાહ દુર્રાની વઝીર વલી ખાન[2] શાહ પસંદ ખાન[2] જહાન ખાન[2] શુજા-ઉદ્-દૌલા નજીબ-ઉદ્-દૌલા હાફીઝ રહમત ખાન[2] ડુન્ડી ખાન[2] બાંઘસ ખાન[2] |
સદાશિવરાવ ભાઉ વિશ્વાસરાવ મલ્હારરાવ હોલકર મહાડજી શીંદે ઈબ્રાહીમ ખાન ગાર્દી જાંકોજી શીંદે શમશેર બહાદુર યશવંતરાવ પૌડ માનાજી પૈગુડે અરવંદેકર રેગે પુરન્દરે વિંચુરકર (પાયદળ અને અશ્વદળ) સિદોજી ગડગે | ||||||||
શક્તિ/ક્ષમતા | |||||||||
* ૩૫,૦૦૦ અશ્વદળ
|
* ૨૫,૦૦૦ અશ્વદળ | ||||||||
મૃત્યુ અને હાની | |||||||||
આશરે ૪૦,૦૦૦ સૈનિકો મૃત.[5][6][7] | અંદાજે ૪૦,૦૦૦-૫૦,૦૦૦ સૈનિકો મૃત.[8] વધુ ૪૦,૦૦૦-૭૦,૦૦૦ સામાન્ય નાગરિકોનો લડાઈ બાદ નરસંહાર[5][6] |
ઈતિહાસકારોમાં લડાઈના સચોટ સ્થળ વિશે મતભેદ પ્રવર્તે છે પણ મોટાભાગના નિષ્ણાતોના મતે લડાઈ સાંપ્રત કાલા અંબ અને સનૌલી માર્ગ નજીકના કોઈ સ્થળે લડવામાં આવી હતી. લડાઈ ઘણા દિવસ ચાલી અને તેમાં આશરે ૧,૨૫,૦૦૦ સૈનિકોએ ભાગ લીધો હતો. બંને પક્ષોએ નુકસાન અને ફાયદાઓ સાથે સંખ્યાબંધ અથડામણો થઈ હતી. મરાઠા સૈન્યની ઘણી પાંખોનો નાશ કરીને અહમદ શાહ દુર્રાનીનું સૈન્ય વિજયી રહ્યું હતું. ઈતિહાસકારોમાં બંને પક્ષે થયેલ ખુવારી બાબતે પણ મતભેદ પ્રવર્તે છે અને લડાઈ દરમિયાન કુલ મૃતકોની સંખ્યા ૬૦,૦૦૦-૭૦,૦૦૦ માનવામાં આવે છે, જ્યારે ઘાયલો અને કેદ પકડાયેલાની સંખ્યા બાબતે મતભેદ છે. શુજા-ઉદ્-દૌલાના દીવાન કાશી રાજે તેમના પ્રથમદર્શી અનુભવની નોંધ કરતા બાખરને માન્ય ગણવામાં આવે છે અને તે અનુસાર લડાઈના બીજા દિવસે ૪૦,૦૦૦ મરાઠા બંદીઓનો ઠંડા કલેજે નરસંહાર કરવામાં આવ્યો હતો. ગ્રાન્ટ ડફે આ નરસંહારોમાં જીવિત બચેલા વ્યક્તિનો સાક્ષાત્કાર તેમના પુસ્તક હિસ્ટરી ઑફ મરાઠામાં સામેલ કર્યો છે અને તે આ અંદાજને સમર્થન આપે છે. શેજવાલકરના લઘુ પુસ્તક પાણીપત ૧૭૬૧ને સૌથી વિશ્વાસપાત્ર ગૌણ સ્રોત માનવામાં આવે છે અને તેમની નોંધ અનુસાર "લડાઈમાં અને ત્યારબાદ ૭૦,૦૦૦ મરાઠા (સૈનિકો અને અન્ય) કરતાં ઓછા નહિ મર્યા હોય"
લડાઈના પશ્ચાઘાત સ્વરૂપે આશરે દસ વર્ષ સુધી મરાઠાઓનું ઉત્તરમાં વિસ્તરણ અટકી ગયું અને વિસ્તારમાં અસ્થિરતાની પરિસ્થિતિ ઉભી થઈ. આ સમયકાળને પેશવા માધવરાવનો શાસનકાળ માનવામાં આવે છે, જેમને પાણીપત ખાતે હાર બાદ મરાઠાઓનો પુનઃવિકાસ કરવાનો શ્રેય આપવામાં આવે છે. ૧૭૭૧માં પાણીપત ખાતેની હારના દસ વર્ષ બાદ તેમણે ઉત્તર ભારતમાં મરાઠા પ્રભુત્વ પુનઃસ્થાપિત કરવા અને અફઘાનોનો સાથ આપનાર રોહિલ્લા અને મરાઠા પ્રભુત્વને પડકારનાર શાસકોને સજા કરવા માટે મોટા સૈન્યને મોકલ્યું. પાણીપતની કથાના લાંબા ઇતિહાસના આખરી સોપાન તરીકે આ અભિયાનની સફળતા ગણવામાં આવે છે.[10]