પંજાબ રેજિમેન્ટ
From Wikipedia, the free encyclopedia
પંજાબ રેજિમેન્ટ એ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે અને તે ૧૯૪૭માં બ્રિટશ ભારતીય સેનામાંથી ૨જી પંજાબ રેજિમેન્ટમાંથી બનાવવામાં આવી હતી. તે ભારતીય ભૂમિસેનાની સૌથી જૂની રેજિમેન્ટમાંની એક છે. તેણે અનેક લડાઈ અને યુદ્ધોમાં ભાગ લીધો છે અને તેના માટે બહુમાન પ્રાપ્ત કર્યા છે.
પંજાબ રેજિમેન્ટ | |
---|---|
રેજિમેન્ટ ચિહ્ન | |
સક્રિય | ૧૭૬૧ – હાલ સુધી |
દેશ | ભારત |
શાખા | ભારતીય ભૂમિસેના |
પ્રકાર | પાયદળ |
કદ | ૧૯ પલટણ |
રેજિમેન્ટલ મુખ્યાલય | રામગઢ, ઝારખંડ |
યુદ્ધ ઘોષ | સ્થળ વ્ જળ (જમીન હોય કે સમુદ્ર) |
યુદ્ધ ઘોષ | જો બોલે સો નિહાલ, સત્ શ્રી અકાલ (જે ઈશ્વર સત્યનો નારો લગાવે છે, તે હંમેશા સુખી રહે) (શીખ) બોલ જ્વાલા માં કી જય (ડોગરા) |
Decorations | • પદ્મભૂષણ- 02 • પદ્મશ્રી- 01 |
Insignia | |
રેજિમેન્ટલ ચિહ્ન | નૌકા |
આઝાદી પહેલાંના બ્રિટિશ ભારતમાં અનેક પંજાબ રેજિમેન્ટ હતી. તેમાં મુખ્યત્ત્વે ૧લી પંજાબ, ૨જી પંજાબ, ૮મી પંજાબ, ૧૪મી પંજાબ, ૧૫મી પંજાબ અને ૧૬મી પંજાબ હતી. આઝાદી સમયે પાકિસ્તાનના હિસ્સામાં ૧લી, ૮મી, ૧૪મી, ૧૫મી અને ૧૬મી પંજાબ રેજિમેન્ટ આવી અને ભારતના હિસ્સામાં ૨જી પંજાબ રેજિમેન્ટ આવી. સૈનિકો તેમની મરજી પ્રમાણે ભારત અને પાકિસ્તાનના હિસ્સાની રેજિમેન્ટ વચ્ચે બદલવામાં આવ્યા.