કવ્વાલી
From Wikipedia, the free encyclopedia
કવ્વાલી એ ભારતીય ઉપખંડના સૂફીઓનું તેમ જ એમાં પણ ખાસ કરીને મુસ્લિમ સમાજનું ભક્તિસંગીત ગણાય છે. તેમણે શાસ્ત્રીય સંગીતમાં તરાનાનો ઉદ્ભવ કર્યા પછી શરૂઆતના રાગો પણ પરંપરાગત શાસ્ત્રીય સંગીતના બંધારણ મુજબ રચ્યા હતા. સામાન્ય રીતે જોઇએ તો ખ્યાલ મૂળ તો કવ્વાલીમાંથી ઊભર્યો છે. અમીર ખુશરો કવ્વાલીના જનક કહેવાય છે.[1]